મંગળવાર, 27 જુલાઈ, 2010

અબોલનું આક્રંદ

અબોલનું આક્રંદ


મંદિરિયામાં નથી રે, મારાથી રે’વાતું.

પરની પછેડીની સોડ ગમે શાને ? શાને ગમે પરનું ભાતું ?
ચરણામૃત ગણી આંસુ પીતાં સૌએ, પાપને માની પનોતું :
મંદિરિયામાં નથી રે, મારાથી રે’વાતું.

વીંઝણાના વાયુ મને વિષડંખ દેતાં, ભડકા જેવી સોના-ભીંતું,
હૈયું બળે ત્‍યારે લાવે નાવણકૂંડી, જમડાની જાણે જમાતું :
મંદિરિયામાં નથી રે, મારાથી રે’વાતું.

ગીત ગળામાંથી ખૂટ્યાં ગોવિંદના, તૂટી તંબૂરાની તાંત્‍યું,
તાર અખંડિત રહેશે ભગત, એનો કસબી બનીને જેણે કાંત્‍યું :
મંદિરિયામાં નથી રે, મારાથી રે’વાતું.

ઇન્‍દુલાલ ગાંધી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો